Friday, Mar 20, 2026

હિમાચલમાં મોટો અકસ્માત, સિરમૌરમાં ખાનગી બસ ખાઈમાં પડતા 14 લોકોના મોત, 52 ઘાયલ

2 Min Read

હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ ખાઈમાં પડતાં 14 લોકોના મોત અને 52 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે 3 વાગ્યે આ દુર્ઘટનાગ્રસ્ત બસ શિમલાથી રાજગઢ થઈને કુપવી જઈ રહી હતી ત્યારે રસ્તા પરથી ઉતરી 500 મીટર ઊંડી ખાઈમાં પડતા કેટલાકના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે કેટલાકના સારવાર દરમિયાન મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત કરી છે.

આ બસ રહી હતી જેમાં 66 જેટલા યાત્રીઓ સવાર હતા. જાણવા મળેલી વિગત મુજબ રસ્તા પર હિમ જામી થવાના કારણે બસ ફસડાઇ ગઇ હતી અને 100 મીટર ઉંડી ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર સહિત 14 યાત્રીઓના મોત થયા હતા અને બાવનથી વધુ ઘાયલ થયા હતા.

આ અકસ્માતમાં બસના ફુરચે ફુરચા ઉડી ગયા છે. આ દુર્ઘટનાના કારણોની તપાસના આદેશ અપાયા છે. 2008માં ખરીદાયેલી આ ખાનગી બસની ફિટનેસ પુરી થવાની હતી. તેની પરમીટ 2028 સુધીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે જેવી બસ ધમાકા સાથે પડી તો તેની છત તૂટી ગઇ અને ઉલટી પડી ગઇ હતી.

ઘટના સ્થળે સ્થાનિક લોકોએ બસની બોડીને હાથેથી ઉઠાવીને ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને ચાર-ચાર લોકોએ મળીને ઉઠાવ્યા હતા અને રસ્તા સુધી પહોંચાડ્યા હતા. ચારે બાજુ ઘાયલોની ચીસાચીસ મચી ગઇ હતી.

અકસ્માતની જાણ થતાં જ નાયબ કમિશ્નર અને પોલીસ અધિક્ષક એન.એસ. નેગી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી હોસ્પિટલે પહોંચ્યા હતા. દુર્ઘટના પર ઉદ્યોગમંત્રી હર્ષવર્ધન ચૌહાણ, કોંગે્રસ પ્રદેશ અધ્યક્ષ વિનયકુમાર, મુખ્યમંત્રી સુખવિન્દર સુખ્ખુ, વિપક્ષી નેતા જયરામ ઠાકુરે શોક વ્યકત કર્યો છે.

Share This Article