કુવૈત અગ્નિકાંડમાં પીડિત ૪૫ ભારતીયોના મૃતદેહ લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું કેરળ

Share this story

કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહોને લઈને ઈન્ડિયન એરફોર્સનું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ ૪૫ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. ભારતીય વાયુસેનાના C-૧૩૦J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે.

અગાઉ કુવૈતથી વિમાનના પ્રસ્થાન પહેલા કુવૈતમાં ભારતીય દૂતાવાસે X પર ભારતીય વાયુસેનાના આ વિશેષ વિમાનના પ્રસ્થાન સાથે સંબંધિત સમાચાર પોસ્ટ કર્યા હતા. ભારતીય દૂતાવાસે ટ્વિટર પર લખ્યું, ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન કુવૈતમાં આગની ઘટનામાં પીડિત ૪૫ ભારતીયોના નશ્વર અવશેષો લઈને કોચી માટે રવાના થયું છે. રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પણ આ વિમાનમાં સવાર છે.

કુવૈતી મીડિયા અનુસાર, આગ રસોડામાં લાગી હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને ૧૨ જૂન (બુધવાર)ના રોજ સવારે ૪.૩૦ વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. મતલબ કે આગ વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે લાગી હતી. કુવૈતી મીડિયા અનુસાર, બાંધકામ કંપની NBTC ગ્રૂપે ૧૯૫ થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના લોકો રહેતા હતા.

આ પણ વાંચો :-