રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત ૪નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં ૮ થી ૧૦ જેટલા ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર, રાધનપુર હાઈવે પર મોડી રાત્રે આણંદથી રાપર જતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર ૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :-