અમરનાથ યાત્રાને લઇને એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે. આજે ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે પવિત્ર યાત્રાને રોકવામાં આવી છે. બાલતાલમાં અને પહલગામમાં તમામ મુસાફરોને આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ છે. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાય ગયા છે. કેટલાયે જિલ્લાઓના અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.
પહાડો પરથી સતત ભૂસ્ખલન થઇ રહ્યુ છે
પહાડો પરથી સતત ભૂસ્ખલન થઇ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે ખુબજ સાવધાની રાખવાનું કહ્યુ છે સતત વરસાદના કારણે રસ્તાઓ ચીકણા અને કાદવ કીચ્ચડવાળા થઇ ગયા છે જેના કારણે રસ્તા પર આવતા જતા ખુબજ સાવધાની રાખવાની જરૂર છે.
IMDએ અધુરામાં પુરૂ હજુ પણ આગામી 5 દિવસ 21 જુલાઇ સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતીભારે વરસાદની ચેતવણી આપી છે.
બાબા બર્ફાની સુધી પહોંચવાના મુખ્ય બે રસ્તાઓ
અમરનાથ યાત્રામાં જવા માટે પહલગામવાળો રસ્તો અનંતનાગથી બાબા સુધી પહોંચવા માટે 36થી 48 કિલોમીટર સુધીની મુસાફરી કરવાની રહે છે કેમકે આ રસ્તો ઢાળવાળો હોવાથી આ રસ્તા પર ભારે શરીર વાળા મોટી ઉંમરના મુસાફરો માટે સારો રહે છે. બીજો રસ્તો બાલતાલવાળો છે જે ખુબજ કપરો અને બાલતાલથી જઇને ગાંદરબલ જિલ્લાથી શરૂ થાય છે. આ રસ્તાથી પહોંચવા માટે 16 કિલોમીટર કાંપવાના રહે છે. આ રસ્તો ખુબજ ઢાળવાળો છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો, પૈરામિલિટ્રી ફોર્સ, CRPF અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ લોકો સતત ત્યાં ખડેપગે ઉભા રહે છે અને મુસાફરોની સુરક્ષા કરતા રહે છે. સેના, કેન્દ્ર સરકાર અને અનેક સંસ્થાઓ જરૂરી સુવિધાઓ પુરી પાડે છે.