હૈદરાબાદના સંધ્યા થિરેટર કેશમાં સાઉથના સુપર સ્ટાર અને “પુષ્પા 2” એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી પોલીસે તેની ઘરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિરેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિરેટર મેનેજર સામે કેશ નોંધ્યો હતો.

“પુષ્પા 2” એ ભારતમાં લગભગ 726 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ગુરૂવારે નોન-વીકઍન્ડ હોવા છતાં ફિલ્મ લગભગ 38 કરોડ રુપિયા કમાઈ હતી. આ પહેલા ફિલ્મે બુધવારે 43 કરોડ રૂપિયા અને મંગળવારે 51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એટલું જ નહીં 64 કરોડ સાથે પુષ્પા 2 સોમવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
આ પણ વાંચો :-

દેશમાં જાણે કે ‘પુષ્પા-2‘ નામનો બોમ્બ ફાટયો છે અને આપણા હિન્દી ફિલ્મના હીરોલોગ અવાચક થઈને, આંખો ફાડીને, ઇર્ષ્યાથી ‘પુષ્પા-2’ના 42 વર્ષીય નાયક અલ્લુ અર્જુનના જાદુને તાકી રહ્યા છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (2021) નામના પહેલા ભાગનું હિન્દીમાં સહેજ પણ પ્રમોશન થયું નહોતું, છતાંય આ તેલુગુ ફિલ્મનું હિન્દી વર્ઝન એટલું બધું સફળ રહ્યું કે ન પૂછો વાત. લોકડાઉન પછીનો સમયગાળો હતો અને સુકુમાર નામના ડિરેક્ટરે બનાવેલી ‘પુષ્પા’ નામની આ અજાણી ફિલ્મ પાસેથી ‘નોર્થ ઇન્ડિયા’માં કોઈને કશી આગોતરી જાણ નહોતી. ‘પુષ્પા-2’ના કેસમાં જોકે એવું નહોતું. આ ફિલ્મ પાસેથી દેશભરના પ્રેક્ષકોને જોરદાર અપેક્ષા હતી જ… અને અલ્લુ અર્જુન-સુકુમારની જોડીએ આ અપેક્ષા પૂરી કરીને તહેલકો મચાવી દીધો છે.
આ પણ વાંચો :-