Wednesday, Mar 4, 2026

અલ-ફલાહ યુનિવર્સિટીની 140 કરોડની સંપત્તિ જપ્ત, ચાર્જશીટ દાખલ

2 Min Read

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ અલ-ફલાહ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ હરિયાણામાં આવેલી આ યુનિવર્સિટીની આશરે રૂ. 140 કરોડની અચલ સંપત્તિને અસ્થાયી રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરસ 2025એ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા ‘વ્હાઇટ-કોલર’ આતંકી મોડ્યુલની તપાસ બાદ કરવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું છે કે આ યુનિવર્સિટી માત્ર નાણાકીય છેતરપિંડીનું કેન્દ્ર જ નહોતી, પરંતુ આતંકી પ્રવૃત્તિઓ માટે એક ઓપરેશનલ હબ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો.

EDએ યુનિવર્સિટીની સંપત્તિઓને ‘અપરાધની આવક’ તરીકે ગણાવી છે. ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી 54 એકર જમીન, યુનિવર્સિટીની મુખ્ય વહીવટી ઇમારતો, વિવિધ વિભાગીય બ્લોક્સ અને વિદ્યાર્થી હોસ્ટેલ્સને કબજે કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ પર રૂ. 493 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. એજન્સીનો દાવો છે કે ટ્રસ્ટે NAAC અને UGCની ખોટી માન્યતાનો હવાલો આપી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયાની ફી વસૂલી હતી.

લાલ કિલ્લા બ્લાસ્ટના આતંકીઓ સાથે જોડાણ
NIAએ જ્યારે 15 લોકોના જીવ લેનારા લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટના તાર અહીંથી જોડાયેલા હોવાનું શોધ્યું, ત્યારે યુનિવર્સિટી પર સંકટ વધુ ઘેરાયું. વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ડો. ઉમર ઉન નબી અલ-ફલાહના મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તપાસમાં ખુલાસો થયો છે કે કેમ્પસનો ઉપયોગ ટેક્નિકલ યોજના બનાવવા અને વિસ્ફોટકો સંગ્રહવા માટે કરવામાં આવતો હતો. આ સેલમાં તાલીમપ્રાપ્ત મેડિકલ વ્યાવસાયિકો સામેલ હતા, જેમના સંબંધ ઇન્ડિયન મુજાહિદીન અને વિદેશી હેન્ડલર્સ સાથે હોવાનું જાણવા મળ્યું છે. EDએ જવાદ સિદ્દીકી સામે ચાર્જશીટ દાખલ કરી છે, જે નવેમ્બર 2025થી ન્યાયિક કસ્ટડીમાં છે.

Share This Article