HomeNationalએર ઈન્ડિયાના વિમાનનો રનવે પરથી ખસી જવાનો બનાવ, તમામ મુસાફરો સુરક્ષિત

એર ઈન્ડિયાના વિમાનનો રનવે પરથી ખસી જવાનો બનાવ, તમામ મુસાફરો સુરક્ષિત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

આજે સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. કેરળના કોચીથી આવવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2744 A320એ મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું, ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ટચડાઉન બાદ વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. અહેવાલ મુજબ વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા છે અને એન્જીનને પણ નુકશાન પહોંચ્યું છે. સદભાગ્યે જાનહાની ટળી હતી, તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સલામત છે.

ટાટા ગ્રુપની સહ માલિકીની એરલાઈન એર ઇન્ડિયાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું, “21 જુલાઈ 2025 ના રોજ કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ AI2744ના લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદને કારણે વિમાન રનવે પર ઉતરી ગયું હતું. જો કે વિમાન સુરક્ષિત રીતે ગેટ સુધી પહોંચી ગયું હતું, અને બધા મુસાફરો અને ક્રૂ સભ્યો નીચે ઉતરી ગયા હતાં. વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.”

કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે CSMIA ખાતેની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. આ ઈમરજન્સી લેન્ડીંગને કારણે એરપોર્ટના મુખ્ય રનવે 09/27 ને સામાન્ય નુકસાન પહોંચ્યું છે, હાલમાં તેનું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ કામગીરીને હાલ અસ્થાયી રૂપે સેકન્ડરી રનવે 14/32 પર શિફ્ટ કરવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img