Friday, Oct 24, 2025

આપ સાંસદ સંજય સિંહે કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું ?

1 Min Read

આપ સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની તબિયત સાથે જોડાયેલી ચોંકાવનારી વાત કહી છે. સંજયે કહ્યું કે કેજરીવાલનું વજન ૮.૫ કિલો ઘટી ગયું, આટલું વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની છે. જેલમાં કેજરીવાલનું શુગર લેવલ ૫૦ થી ૫ વખત નીચે ગયું છે.

Sanjay Singh expressed concern over Arvind Kejriwal's health, saying he had lost 8.5 kg

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સીએમ કેજરીવાલને જામીન આપતાં કોર્ટે તેમના પર કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વચગાળાની મુક્તિના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જશે નહીં. જો કે હાલ અરવિંદ કેજરીવાલ CBI કરેલા કેસમાં ૨૫ જુલાઇ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલે ૫૦ હજાર રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે અને એટલી જ રકમની સિક્યોરિટી આપવી પડશે. આ સાથે, અરવિંદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી સિવાય કે એલજી પાસેથી મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી હોય.

આ પણ વાંચો :-

Share This Article