તિરુપતિ મંદિરમાં થોડા જ દિવસોમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. સોમવારે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી હતી. કાઉન્ટર પાસે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન ઓચિંતા આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલમાં વહીવટીતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત છે. ફાયર બ્રિગેડની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ ઉત્સવ દરમિયાન બની હતી. આ પ્રસંગે દેશભરમાંથી હજારો લોકો ત્યાં પહોંચ્યા છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે 8 જાન્યુઆરીએ થયેલા અકસ્માતને કારણે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૮ જાન્યુઆરીના રોજ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના અવસાન થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગની ઘટના તિરુપતિમાં એમજીએમ સ્કૂલ પાસે આવેલા બૈરાગી પટ્ટેડા પાસે બની હતી.
આ પણ વાંચો :-