Thursday, Dec 11, 2025

બિહારમાં 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

2 Min Read

ભાગલપુરમાં ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ધરાશાયી થવાની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સુલતાનગંજ-અગુવાની રૂટ પર આવેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. એસપી સિંગલા કંપની દ્વારા બનાવવામાં આવી રહેલો આ પુલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. પુલના નિર્માણમાં ગુણવત્તાહીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સતત ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, ભ્રષ્ટાચારના કારણે જ આ પુલ વારંવાર ધરાશાયી થઈ રહ્યો છે.

ઘટનાસ્થળે હાજર લોકોએ દાવો કર્યો હતો કે ગંગા નદીમાં આવેલા પૂર અને તેજ વહેણને લીધે 9 નંબરના પિલ્લર પર તૈયાર સુપર સ્ટ્રક્ચરનો અમુક ભાગ બચી ગયો હતો જે અચાનક ધસીને પાણીમાં સમાઈ ગયો. જેવો જ આ સ્ટ્રક્ચર ધરાશાયી થઇ પાણીમાં પડ્યો કે તરત જ એવો ધડાકા જેવો અવાજ આવ્યો કે આજુબાજુના રહેવાશીઓ ગભરાઈ ગયા હતા.

તમને જાણીને એ પણ નવાઈ થશે કે અગવાની સુલ્તાનગંજ ફોરલેન બ્રિજનો કોઈ હિસ્સો ધરાશાયી થયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. અગાઉ 20 એપ્રિલ 2022ના રોજ રાત્રે પવનને લીધે પણ 5 નંબરનો પિલ્લર ધરાશાયી થઈ ગયો હતો. તેના પછી 4 મે 2023ના રોજ અગવાની તરફના પિલ્લર નંબર 9,10, 11, 12 ના સુપર સ્ટ્રક્ચરે જળસમાધિ લઈ લીધી હતી.

આ પણ વાંચો :-

Share This Article