પૃથ્વી પર ખતરનાક સંકટ, કરોડો લોકોના મોત થવાની શંકા

Share this story

પૃથ્વીનો એક મોટો ભાગ આવનાર સમયમાં એટલો વધારે ગરમ થઈ શકે છે કે ત્યાં માણસ રહી નહીં શકે. તેની સૌથી વધારે અસર તે વિસ્તારમાં પડશે જ્યાં દુનિયાની સૌથી વધુ આબાદી રહે છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા અને મિડલ ઈસ્ટ એ જગ્યા હશે જ્યાં તાપમાન એટલું વધારે વધી જશે કે લોકોને ઠંડી જગ્યાઓ તરફ જવા માટે મજબૂર થવું પડશે. તેનું મુખ્ય કારણ સતત જળવાયુ પરિવર્તનમાં થતા ફેરફાર હશે.

અમેરિકામાં રિસર્ચર્સનું કહેવું છે કે ભારત, પાકિસ્તાન, પૂર્વી ચીન અને સબ-સહારા આફ્રીકા સહન ન કરી શકે તેવી ગરમીનો સામનો કરી શકે છે. ઈન્ડિયાના રાજ્યના પર્ડ્યૂ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ મેથ્યૂ હ્યૂબરનું કહેવું છે કે ભીષણ ગરમીનો સૌથી વધારે પ્રકોપ તે વિસ્તાર પર પડશે જે વધારે અમીર નથી અને ત્યાં આવનાર સમયમાં આબાદી ઝડપથી વધવાની છે. સૌથી વધારે ચોંકાવનારી વાત તો એ છે કે આ વિસ્તારમાં સૌથી ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે.

પ્રોફેસર ડૉ મેથ્યૂ હ્યૂબરે આગળ કહ્યું કે ભીષણ ગર્મીના કારણે અબજો ગરીબ લોકો તડપવાના છે. તેમાંથી કોરોડો લોકોના મોત થઈ જશે. તે કહે છે કે એવું નથી કે ગરમીના પ્રકોપનો કહેર ફક્ત ગરીબ દેશો પર પડશે જે ખૂબ વધારે ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે. તેમણે કહ્યું કે અમીર દેશોને વધતા તાપમાનથી આવતી લૂ અને હીટવેવમાંથી પસાર થવું પડશે. ગરમીની અસર કેનેડા અને યુરોપમાં પહેલા જ જોવા મળી ચુકી છે.

તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી ૧.૫Cથી વધારે વધી જાય છે તો ગરીબ દેશોનો મોટો ભાગ રહેવા લાયક નહીં રહે. આ વાતની જાણકારી એવા સમય પર સામે આવી છે જ્યારે દુનિયાને ‘સૌથી ગરમ સપ્ટેમ્બર’નો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :-