Sunday, Sep 14, 2025

અગ્નિવીરો માટે સરકારની મોટી જાહેરાત, ITBPમાં પણ મળશે અનામતનો લાભ

1 Min Read

નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ એલાન આજે ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહ મંત્રાલયે જાણકારી આપી હતી કે પૂર્વ અગ્નિવીરોને BSF, CISF, CRPF, SSB અને RPF ની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. સાથે જ તેમની વયજૂથમાં પણ છૂટ અપાશે.

સૈન્યમાં અગ્નિપથ સ્કીમ ચાર વર્ષ માટે 'અગ્નિવીર'ની ભરતી થશે | The Agneepath scheme in the army will recruit 'Agniveer' for four years

ગૃહ મંત્રાલયના એક ટ્વિટમાં ITBP ના ડીજી રાહુલ રસગોત્રાએ કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને ITBP માં ભરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અગ્નિવીરો તરીકે દળને વેલ ટ્રેઈન્ડ જવાનો મળશે. જે સૈન્ય માટે ઉપયોગી સાબિત થશે. આ જ કારણે આઈટીબીપીમાં ભરતી દરમિયાન અગ્નિવીરોને વય અને શારીરિક કસોટીની પરીક્ષામાં છૂટ અપાશે.

આ પણ વાંચો :-

Share This Article