HomeFestivalકોઇને જીવન આપી નહીં શકીએ નહીં તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને...

કોઇને જીવન આપી નહીં શકીએ નહીં તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી : શ્રેણિક વિદાણી

Date:

Related stories

સુરતમાં મધરાતે ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ધુમાડાથી મચી અફરાતફરી; કલાકો સુધી ફાયર બ્રિગેડની જહેમત

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાત...

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત...

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા...

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...
spot_img

જૈન ધર્મ ની ઓળખ અહિંસાથી થાય છે. “અમારિ” નો ભાવ એટલે મારવું નહીં, કોઈને ભય ન આપવું અને કોઈના અસ્તિત્વને નુકશાન ન પહોંચાડવું. અહિંસાનો વિસ્તાર માત્ર હાથ સુધી મર્યાદિત નથી, તે વિચાર, વાણી અને વ્યવહાર સુધી પહોંચે છે.

કોઈને કડવા શબ્દોથી દુ:ખ આપવું, અપમાન કરવું, ઈર્ષ્યાથી કોઇની નિંદા કરવી કે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકશાન પહોંચાડવું… આ બધું પણ હિંસાના સૂક્ષ્મસ્વરૂપો છે. અહિંસા એટલે માત્ર કોઈને મારવું નહિ પણ કોઈના જીવનમાં અનાવશ્યક દુ:ખનું કારણ ન બનવું. જો આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિને આપણા કારણે ભય નહિ પરંતુ શાંતિનો અનુભવ થાય તો અહિંસા આપણાં જીવનમાં ઉતરી છે એમ કહી શકાય.

    સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારે હિંસાથી બચવાનું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિમાં પણ જીવ છે તેમ માનવામાં આવ્યું છે. નાનો કે મોટો દરેક જીવ જીવવાનું ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. આપણે જો કોઈને જીવન ન આપી શકીએ તો કોઈનું જીવન છીનવી લેવાનો આપણને અધિકાર નથી. ઓછામાં ઓછી હિંસાથી કેવી રીતે જીવી શકાય તેવી જીવનશૈલી જૈન પરંપરામાં બતાવવામાં આવી છે. જૈન સાધુઓ આ જીવનશૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીવો અને જીવવા દો તેટલો જ માત્ર સંદેશ જૈન ધર્મનો નથી પરંતુ આપણા પ્રાણના ભોગે પણ બીજાના જીવની રક્ષા કરવા તત્પર રહો તેવો સંદેશ આપે છે. સ્વયંના જીવનમાં જીવદયાનું આચરણ કરવું અને પોતાની શક્તિ, સત્વ, સુઝ અને સંપત્તિનો ઉચિત ઉપયોગ કરીને જીવદયાનું પાલન કરાવવું તે પર્યુષણનો સંદેશ છે.

Subscribe

Latest stories

spot_img