Thursday, Aug 20, 2026

કંગના ભડકી! બાબા રામદેવને સોશિયલ મીડિયા પર આપ્યો એવો જવાબ કે વિવાદ વધ્યો

1 Min Read

ગટર જનરેશન’ના નિવેદનથી શરૂ થયેલો વિવાદ હવે કંગના રનૌત અને બાબા રામદેવ વચ્ચે વ્યક્તિગત ટકરાવ સુધી પહોંચી ગયો છે. રામદેવે કંગનાના નિવેદનની ટીકા કરતાં તેના બાળપણ, જવાની અને ભૂતકાળ પર સવાલો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં કંગનાએ સોશિયલ મીડિયા પર આકરો પલટવાર કર્યો છે.

કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, બાબાજીએ તેની જવાની અને બેડરૂમ અંગે ‘દિવાસ્વપ્ન’ જોવાનું બંધ કરવું જોઈએ. તેણે આગળ રામદેવને કહ્યું કે અફવા કે પંચાતના આધારે કોઈ વ્યક્તિ વિશે ધારણા બાંધવી યોગ્ય નથી.

કંગના રનૌતની ઈન્સ્ટા સ્ટોરીમાંથી લીધેલો સ્ક્રીનશોટ

કંગનાએ આ સાથે પતંજલિ સાથે જોડાયેલા વિવાદોનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે દાવો કર્યો કે તેને ક્યારેય નકલી અથવા ભ્રામક તબીબી દાવાઓને લઈને સુપ્રીમ કોર્ટની ફટકારનો સામનો કરવો પડ્યો નથી અને તેથી તેને ચારિત્ર્ય અંગે ઉપદેશ ન આપવામાં આવે.

આ વિવાદની શરૂઆત જુલાઈમાં થઈ હતી. જંતર-મંતર સહિતના વિરોધ પ્રદર્શનો અંગે કંગનાએ કેટલાક પ્રદર્શનકારીઓને ‘ગટર જનરેશન’ કહીને ટીકા કરી હતી. બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈશારો સમગ્ર Gen Z તરફ નહોતો.

રામદેવે કંગનાની ટિપ્પણીને વાંધાજનક ગણાવી હતી અને કહ્યું હતું કે દેશના યુવાનોને ‘ગટર’ કહેવું વિકૃત માનસિકતાની નિશાની છે. હવે બંનેના આક્ષેપ-પ્રત્યાક્ષેપે રાજકીય અને સોશિયલ મીડિયા ચર્ચાને વધુ ગરમાવી દીધી છે.

Share This Article