HomeGujaratમેઘરાજા હજુ નહીં રોકાય! ગુજરાતના આ જિલ્લાઓ માટે મોટું એલર્ટ

મેઘરાજા હજુ નહીં રોકાય! ગુજરાતના આ જિલ્લાઓ માટે મોટું એલર્ટ

Date:

Related stories

એશિયા કપમાં લીગ મેચ બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટોપ પર

મહિલા એશિયા કપ 2026 હવે ખિતાબથી માત્ર બે જીત...

આ 4 રાશિઓ માટે આજનો દિવસ રહેશે સુપરહિટ! કરિયર, ધન અને પરિવારની બાબતમાં મળશે ખુશખબર

૯ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેત, ક્યારે અને ક્યાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદના વળતરના સંકેતો મળતા...

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...
spot_img

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે જનજીવનને અસર કરી છે હવામાન વિભાગની નવી આગાહી મુજબ 25 જુલાઈથી 31 જુલાઈ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આગાહી મુજબ 26 જુલાઈએ બોટાદ, અમરેલી, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

27 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ યથાવત રહેશે. સક્રિય ચોમાસાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

28થી 31 જુલાઈ દરમિયાન વરસાદનું જોર થોડું ઘટી શકે છે, પરંતુ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 29 અને 30 જુલાઈએ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે 30 જુલાઈએ અમદાવાદ અને આણંદમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. માછીમારોને પણ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે દરિયો તોફાની રહેવાની શક્યતા છે.

Subscribe

Latest stories

spot_img