HomeEducationવિદ્યાર્થી આંદોલનનો વિજય! ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી આપ્યું રાજીનામું

વિદ્યાર્થી આંદોલનનો વિજય! ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી આપ્યું રાજીનામું

Date:

Related stories

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના...

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ...
spot_img

NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં અનિયમિતતાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે, 25 જુલાઈ 2026ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિપક્ષી પક્ષો દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી નક્કી કરવાની અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો થયા હતા.

રાજીનામા સાથે જાહેર થયેલા પત્રમાં પ્રધાને છેલ્લા દસ દિવસની ઘટનાઓથી પોતે દુઃખી હોવાનું જણાવ્યું છે. તેમણે દેશની એકતા જાળવવા, વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની જટિલતાઓમાં ન ફસાય અને યુવાનો અભ્યાસ તથા કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે હેતુથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હોવાનું લખ્યું છે.

અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક કથિત રાજીનામાનો પત્ર ફેક હોવાનું ફેક્ટ-ચેકમાં સામે આવ્યું હતું. જોકે, 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાનના વાસ્તવિક રાજીનામાની પુષ્ટિ થઈ છે. હવે શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા અંગે સરકારના આગામી પગલાં પર સૌની નજર છે.

Subscribe

Latest stories

spot_img