HomeSurat Cityસુરતમાં હોટેલના રૂમમાં દંપતીએ પીધી ઝેરી દવા: પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

સુરતમાં હોટેલના રૂમમાં દંપતીએ પીધી ઝેરી દવા: પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકની સીમાડા સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોટેલના એક રૂમમાં રોકાયેલા દંપતીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

હોટેલના રૂમમાં ઝેરી દવા પીતા દોડધામ મચી

પ્રાપ્ત માહિતી અનુસાર, દંપતીએ હોટેલના રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ હોટેલ સ્ટાફ રૂમ સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ પત્નીને મૃત જાહેર કરી હતી. જ્યારે પતિને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે.

સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક લા મરીના હોટેલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે હોટેલના રૂમને કબજામાં લઈ તપાસ શરૂ કરી છે. ઉપરાંત એફએસએલ (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવી જરૂરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ

પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીએ આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. દંપતી ક્યાંના રહેવાસી હતા, હોટેલમાં ક્યારે રોકાયા હતા અને તેમની હિલચાલ અંગે માહિતી મેળવવા હોટેલના રજિસ્ટર તેમજ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પારિવારિક વિવાદ, આર્થિક સંકટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પતિના નિવેદન બાદ થશે ખુલાસો

પોલીસના જણાવ્યા અનુસાર, હાલ પતિની સ્થિતિ ગંભીર હોવાથી તેનું નિવેદન લઈ શકાયું નથી. તે ભાનમાં આવ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મળી શકે છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરી છે.

Subscribe

Latest stories

spot_img