HomeEntertainment'રાજા શિવાજી'નું ટ્રેલર લોન્ચ, રિતેશ દેશમુખનું પાવર પરફોર્મન્સ, સંજય દત્તનો ખૂંખાર અંદાજ

‘રાજા શિવાજી’નું ટ્રેલર લોન્ચ, રિતેશ દેશમુખનું પાવર પરફોર્મન્સ, સંજય દત્તનો ખૂંખાર અંદાજ

Date:

Related stories

કોલસા અને કલર-કેમિકલ મોંઘા થતાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફરી હલચલ, આવતા સપ્તાહે મોટો નિર્ણય

અગાઉ તા ૨૭-૦૮-૨૦૨૬ના રોજ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનની...

ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરજો : પીએમ મોદી

નવસારી ખાતે જિલ્લા ભાજપનું નવું બનેલું કાર્યાલય નમો કમલમનું...

નવસારીમાં દેશનું પ્રથમ AI સુવિધા સાથેનું નમો કમલમનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના...

મુંબઈના અંબાણી સેન્ટર ખાતે PM મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદોની નકલી PMO ID અને બંદૂક સાથે અટકાયત

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ...
spot_img

રિતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝા બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રિય કપલમાંથી એક છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર રિતેશ અને જેનેલિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફિલ્મ રાજા શિવાજીના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો છે જેમાં જેનેલિયા અને રિતેશ દેશમુખ એકદમ ભાવુક થઈને રડી પડતાં જોવા મળી રહ્યા છે. જોકે, અત્યારે આપણે વાત કરીશું આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ડેબ્યુ કરનારા સ્ટાર કિડની. સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે. આ સ્ટાર કિડ એટલે રિતેશ અને જેનેલિયાનો દીકરો રાહિલ. રાહિલના ડેબ્યૂએ સૌને ચોંકાવી દીધા છે.

2026ની મોસ્ટ અવેઈટેડ હિસ્ટોરિકલ ફિલ્મ ‘રાજા શિવાજી’ માત્ર એક ફિલ્મ નથી, પણ દેશમુખ પરિવાર માટે એક ભાવનાત્મક સફર છે. વાત કરીએ ફિલ્મના ટ્રેલરની તો ટ્રેલરની શરૂઆત થાય છે રાહિલ દેશમુખની એક શક્તિશાળી ઝલકથી થાય છે.

તમારી જાણકારી માટે આ ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં તેને ‘સ્વરાજ્ય’ વિશે વાત કરતા જોઈ શકાય છે, જે પ્રેક્ષકોમાં રોમાંચ પેદા કરે છે. ત્યારબાદ વાર્તા આગળ વધે છે અને યુવાનથી લઈને પુખ્ત વયના મહારાજનું પાત્ર રિતેશ દેશમુખ પોતે ભજવી રહ્યો છે.

રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ સ્ટારર આ ફિલ્મમાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મોટા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન પણ જોવા મળશે. આ સિવાય મહેશ માંજરેકર, બોમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જિતેન્દ્ર જોશી જેવા મંજાયેલા કલાકારો ફિલ્મમાં પ્રાણ ફૂંકશે.

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન રિતેશ દેશમુખ પોતાના સ્વર્ગસ્થ પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયો હતો. રિતેશને રડતો જોઈ પત્ની જેનિલીયાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રિતેશ માટે આ ફિલ્મ મહારાષ્ટ્રની માટી અને તેના પિતાના સંસ્કારોનું પ્રતીક છે.

Subscribe

Latest stories

spot_img