HomeNationalમુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માતમાં બાઈક સવારનું મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માતમાં બાઈક સવારનું મોત

Date:

Related stories

PM મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત HCની મહત્વની ટિપ્પણી, 21 સપ્ટેમ્બરે ફરી સુનાવણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે જોડાયેલો...

PM Modi Birthday 2026: ગુજરાતમાં આટલા લાખ દીવડાઓથી કાંકરિયા સહિત અનેક સ્થળે ઉજવણી

સાંજ પડતાં જ ગુજરાતના હજારો સ્થળો દીવડાઓની રોશનીથી ઝળહળી...

આ રાજ્યમાં કેમ 1 ઓક્ટોબરથી નહીં મળે ગાડીઓને પેટ્રોલ-ડીઝલ?

હરિયાણામાં જૂની ગાડીઓ ચલાવતા લોકો માટે હવે મોટો ફેરફાર...

તમારો પગાર ₹25 હજાર સુધી છે? EPFOના આ નિર્ણયથી થશે મોટો ફેરફાર

નોકરી કરતા લાખો કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય...
spot_img

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા નજીક થયેલા ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મળતી માહિતી મુજબ, રોંગ સાઈડમાંથી આવી રહેલી એક કાર બાઈક સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી.

આ અકસ્માતમાં બાઈક પર સવાર એક મહિલા અને એક બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ મોડું પહોંચ્યું હોવાના આક્ષેપ પણ કર્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. કપુરાઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ લગભગ બે કલાક સુધી મૃતદેહ હાઈવે પર જ પડ્યો રહ્યો હતો, જેનાથી લોકોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe

Latest stories

spot_img