HomeSurat Cityઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ

ઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

સુરતના રાંદેર વિસ્તારમાં આજે (12 જાન્યુઆરી 2026) એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય હિનીષા પટેલે પોતાના ઘરના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બાદ પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીષા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે. પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં જ ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા કરી તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પ્રાથમિક તપાસમાં પારિવારિક તણાવ, કાર્યસ્થળનું દબાણ કે અન્ય માનસિક કારણો હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. રાંદેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પતિ તથા અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી સમગ્ર વહીવટી તંત્ર અને મહેસૂલ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Subscribe

Latest stories

spot_img