ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. સિંહણને ગંભીર ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોચી સિંહણનો મૃતદેહ પીએમ કરવા અર્થે કાર્યવાહી હાથ ધરી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રાતદિવસ સિંહ રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાયા છે.
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત