HomeGujaratધોળકામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 200થી વધુ લોકોને અસર થતા હોસ્પિટલ...

ધોળકામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના, 200થી વધુ લોકોને અસર થતા હોસ્પિટલ ખસેડાયા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની મોટી ઘટના સામે આવી છે. આ જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા, જેમાંથી આશરે 200 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઈ છે. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલ સ્થિતિ નિયંત્રણમાં

આ અંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને અસર થઈ છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં (કંટ્રોલમાં) છે. જે લોકો જમણવાર બાદ ઘરે ગયા છે, તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, અને જો તેમને સારવારની જરૂર પડશે તો તે પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે હાલ વધુ તપાસ ચાલુ છે, પરંતુ જમણવારમાં લીધેલા ભોજનને કારણે આ ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

Subscribe

Latest stories