Wednesday, Dec 10, 2025

મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણીથી અનિરુદ્ધાચાર્ય મુશ્કેલીમાં, કોર્ટમાં કેસ દાખલ

3 Min Read

કથાવાચક અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી જેના કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે આ મામલે તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ કહાની.

કથાવાચક અનિરુદ્ધાચાર્ય મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુશ્કેલીમાં મુકાયા છે. ભારત હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે તેમની વિરુદ્ધ સીજેએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સીજેએમ ઉત્સવ રાજ ગૌરવની કોર્ટે તેને સ્વીકારી લીધી છે. કથાકારે હવે કોર્ટમાં જવાબ આપવો પડશે. આ કેસમાં આગામી સુનાવણી 1 જાન્યુઆરી, 2026 ના રોજ થશે.

કોણ છે કથાકાર અનિરુદ્ધાચાર્ય ?
અનિરુદ્ધાચાર્ય આજના સૌથી પ્રખ્યાત સંતો અને કથાકારોમાંના એક છે. તેઓ ભાગવત કથા અને ધાર્મિક પ્રવચનો માટે જાણીતા છે. અનિરુદ્ધાચાર્ય વૃંદાવનમાં ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક છે. તેઓ તેમના આશ્રમમાં વૃદ્ધોની સંભાળ, ભોજન વિતરણ અને પ્રાણીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કાર્યો કરે છે. તેમનું બાળપણનું નામ અનિરુદ્ધ રામ તિવારી છે. અનિરુદ્ધાચાર્ય મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રિનવાઝા ગામના વતની છે.

શું છે આખો મામલો ?
થોડા સમય પહેલા તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતુ કે આજકાલ, દીકરીઓના લગ્ન 25 વર્ષની ઉંમરે થાય છે, ત્યાં સુધીમાં તો, તેઓ ઘણી જગ્યાએ મોઢું મારી ચૂકી હોય છે. આ નિવેદનનો ભારે વિરોધ થયો હતો, અને હવે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લોકોએ આ વિવાદાસ્પદ ટિપ્પણીને મહિલાઓનું અપમાન ગણાવી અને તેનો વિરોધ કર્યો. વિવાદ બાદ, અનિરુદ્ધાચાર્યે સ્પષ્ટતા કરી કે તેઓ મહિલાઓનું સન્માન કરે છે અને તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે, અને કોર્ટ આગળ કાર્યવાહી કરશે. આગામી સુનાવણી જાન્યુઆરી 2026 માં થશે.

કથાકાર અનિરુદ્ધાચાર્ય અનેક વખત વિવાદ અને ચર્ચાનોમાં આવી ચુક્યા છે. તેઓ અનેક વખત સોશિયલ મીડિયા પર મજાકનો વિષય બન્યા છે. તેમણે એક વખત ઓસ્ટ્રેલિયાને રામાયણ સાથે જોડીને એક શસ્ત્રાગાર તરીકે વર્ણવ્યું હતું, અને તેના માટે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. આ સિવાય તેમણે બિસ્કિટને ઝેરી કીટ કહી હતી. જો કે, આ કિસ્સામાં, તેમણે બિસ્કિટમાં રહેલા તેલ, લોટ અને ખાંડને હાનિકારક ગણાવ્યા હતા. લિવ-ઇન રિલેશનશિપ પરની તેમની ટિપ્પણીઓ માટે પણ તેમણે વિવાદ ઉભો કર્યો હતો.

Share This Article