HomeSurat Cityસુરતમાં ફરી ઝડપાયો 955 કિલો નકલી પનીરનો જથ્થો, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં ફરી ઝડપાયો 955 કિલો નકલી પનીરનો જથ્થો, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભિ ડેરીમાંથી ફરી એક વખત શંકાસ્પદ નકલી પનીરનો મોટો જથ્થો મળી આવ્યો છે. શહેરની SOG ટીમ અને મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત રીતે આ સ્થળે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ડેરીમાંથી કુલ 955 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 1.81 લાખ જેટલી હોવાનું અનુમાન છે. અધિકારીઓએ આ તમામ પનીરનો જથ્થો તાત્કાલિક રીતે જપ્ત કરી લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ડેરી ખટોદરા સોમકામજીની વાડી વિસ્તારમાં આવેલ છે અને તેનો માલિક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ દ્વારા સ્થળ પરથી વિવિધ પ્રકારના પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને હવે વિગતવાર તપાસ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટના બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં અન્ય ડેરીઓ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદકો પર પણ તપાસનો ધસારો શરૂ કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે જો લેબ રિપોર્ટમાં પનીર નકલી અથવા અયોગ્ય ગુણવત્તાનું સાબિત થશે, તો ડેરી માલિક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

Subscribe

Latest stories