મુંબઈ-અમદાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની સોમવાર બપોરે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મુલાકાત લીધી હતી. તેમની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સ્થળ પર ચાલી રહેલા બાંધકામ તેમજ ટ્રેક બિછાવવાના કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી.
બીલીમોરા સુરત વચ્ચે નાં 50 કીમી નાં સેક્શન માં સિવિલ વર્ક પૂર્ણ થયું છે. વર્ષ ૨૦૨૭ માં ટ્રેન ચાલુ કરાશે. વર્ષ 2029 માં પ્રોજેક્ટ પૂર્ણ થશે. ટ્રેન 320ની સ્પીડ એ દોડશે. જાપાની ટેકનોલોજી છે. વર્ષ 2028 માં ગુજરાત માં પ્રોજેકટ નું કામ અને સંપૂર્ણ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૯ માં પૂર્ણ થશે. આજે કારમાં 8-10 કલાક લાગે છે એ મુંબઈ-અમદાવાદ ની સફર બુલેટ ટ્રેન માં બે કલાક સાત મિનિટ માં પૂર્ણ થશે. બુલેટ ટ્રેન શરૂઆત માં અર્ધા કલાકે જે બાદ 20 મિનિટ એ તે બાદ 10 મિનિટ એ ટ્રેન ઉપલબ્ધ કરાવાશે.
બીલીમોરા પંથક કેરીના બગીચાઓ માટે પ્રસિદ્ધ હોવાથી સ્ટેશનની ડિઝાઇન પણ કેરીના બગીચાની પ્રેરણાથી તૈયાર કરાઈ હતી. આ ડિઝાઇન શહેરની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક ઓળખને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનમાં કુદરતી પ્રકાશ અને હવાના પૂરતા પ્રવાહ માટે ખાસ આયોજન કરાયું છે. ફોલ્સ સીલિંગ એન્ટી-વાઇબ્રેશન હેંગરથી લગાવવામાં આવ્યા છે જેથી ટ્રેનની તેજ ગતિથી થતી કંપનથી માળખાને અસર ન થાય.
બીલીમોરા સ્ટેશન એ વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેઇલ આઉટલેટ, લિફ્ટ, એસ્કેલેટર જેવી સુવિધાઓની સાથે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારોને અનુકૂળ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. સ્ટેશન પર હરિયાળી વાતાવરણ સર્જવા માટે વ્યાપક રીતે વૃક્ષારોપણ હાથ ધરાયુ છે. પિકઅપ અને ડ્રોપ-ઓફ ઝોન, બસ, કાર તથા ઇલેક્ટ્રિક વાહનો માટે અલગ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. પર્યાવરણને અનુરૂપતા જાળવવા IGBC ના ધોરણો અનુસાર પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, વરસાદી પાણી સંચય, લો-ફ્લો સેનેટરી ફિટિંગ્સ તથા ઓછા તાપપ્રવેશવાળા ઈન્ટિરિયર જેવા ઉપાયો અપનાવવામાં આવ્યા છે.