આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લામાં એક વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. ફરુખાબાદ જિલ્લાના ખિમસેપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એર સ્ટ્રીપ પર પ્રાઈવેટ મીની જેટ વિમાન ટેક ઓફ કરતી વખતે રનવે પરથી લપસી ગયું હતું અને બાજુમાં આવેલી ઝાડીઓમાં ફસડાઈ પડ્યું હતું.
અહેવાલ મુજબ આ પ્રાઈવેટ મીની જેટમાં ઉદ્યોગપતિ સવાર હતાં. અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાન જેટ સર્વિસ એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની કામનીનું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર VT-DEZ છે. સવારે લગભગ 10.30 વાગ્યે મોહમ્મદાબાદ હવાઈ પટ્ટી પરથી ઉતરીને નજીકની ઝાડીઓમાં ફસાઈ ગયું હતું. વિમાન અહીંથી મધ્યપ્રદેશના ભોપાલ જવાનું હતું.
સવારે 10:30 વાગ્યે ભોપાલ જવા રવાના થયા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોહમ્મદાબાદ શહેરમાં સ્થિત સરકારી હવાઈ પટ્ટી પર ખિમસેપુર ઔદ્યોગિક વિસ્તારમાં બની રહેલી બીયર ફેક્ટરીના ડીએમડી અજય અરોરા, એસબીઆઈ હેડ સુમિત શર્મા, બીપીઓ રાકેશ ટીકુ ફેક્ટરીના બાંધકામ કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે બપોરે 3:00 વાગ્યે ભોપાલથી આવ્યા હતા, જેઓ આજે સવારે 10:30 વાગ્યે જેટ સર્વિસ એવિએશન પ્રાઈવેટ લિમિટેડના ખાનગી જેટ વીટી ડેઝ દ્વારા ભોપાલ જવા રવાના થયા હતા.
રનવે પર લગભગ 400 મીટર સુધી જેટ વિમાને રન કર્યું હતું
ટેક ઓફ કરતી વખતે જેટ વિમાન બેકાબૂ થઈને નજીકની ઝાડીઓમાં ઘૂસી ગયું. જેટ રનવે પર લગભગ 400 મીટર દોડ્યું હતું, ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઈટના વ્હીલ્સમાં હવા ઓછી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પાઈલટની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. પાયલટને વ્હીલ્સમાં હવા ઓછી હોવાની પહેલાથી જ જાણ હતી. ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ હેડ મેનેજર મનીષ કુમાર પાંડેએ જણાવ્યું કે, ફ્લાઇટ અહીંથી ભોપાલ જઈ રહી હતી.