Friday, Oct 3, 2025

મધ્યપ્રદેશમાં શ્રદ્ધાળુઓનું ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું, 13 લોકોના મોત

1 Min Read

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. પંઢણા નજીક અર્દલા ગામે કામચલાઉ પુલ પર પાર્ક કરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક તળાવમાં પડી જતા 13 લોકોનાં મોત થયા, જેમાં 8 છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આશરે 20થી 25 લોકો તળાવમાં ડૂબી ગયાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે આ ઘટના બની હતી. ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકતાં મુસાફરો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામલોકો અને બચાવ ટીમ તાત્કાલિક તળાવમાં કુદી પડ્યા. અંદાજે 10-15 લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો.

બચાવ કામગીરી દરમિયાન JCBનો પણ સહારો લેવાયો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શી પ્રદીપ જગધનેએ જણાવ્યું કે જ્યાં ટ્રેક્ટર-ટ્રોલી પડી હતી ત્યાં લગભગ 50 ફૂટ ઊંડું પાણી હતું. “અમે નવ લોકોને બચાવ્યા અને તેમને પંઢણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં તેમને ખંડવા જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,”

Share This Article