અફઘાનિસ્તાન એક મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. સોમવારે 6.0 ની તીવ્રતાના ભૂકંપ બાદ મંગળવારે પણ 5.5 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે. આ ભૂકંપ શ્રેણીમાં અત્યાર સુધીમાં 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુઃખની ઘડીમાં ભારતે તાત્કાલિક મદદ મોકલી છે, જેમાં તંબુ અને 15 ટન ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતે આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાન સાથે એકતા દર્શાવી છે.
અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વીય ભાગમાં છેલ્લા 24 કલાકમાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. સોમવારે રાત્રે 6.0 ની તીવ્રતાના ભૂકંપ બાદ મંગળવારે (2 સપ્ટેમ્બર) ફરીથી 5.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ સળંગ આફતને કારણે પહેલાથી જ તબાહ થયેલા વિસ્તારોમાં ભયનું વાતાવરણ વધુ ફેલાયું છે અને રાહત કાર્યોમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
- ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.