Sunday, Dec 21, 2025

અમદાવાદના વસ્ત્રાપુરમાં GAS કેડરના અધિકારીએ આપઘાત કર્યો

2 Min Read

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

વસ્ત્રાપુરમાં GAS કેડરના અધિકારીનો આપઘાત
વસ્ત્રાપુર વિસ્તારમાં અધિકારીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મનોજકુમાર પોપટલાલ પૂજારા નામના અધિકારીએ વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આત્મહત્યા કરી છે. અધિકારીએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અધિકારી ગાંધીનગર સચિવાલય ખાતે GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા. ગત્ત વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવતા અધિકારીએ ફોન ન ઉપાડતા ડ્રાઈવર ઘરે જઈને દરવાજો ખુલ્લો જોતા દરવાજો ખોલતા અધિકારી લટકતા જોવા મળ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે એકલતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી રાજ્ય સચિવાલયમાં તેમના સહકર્મીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પુજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા.

ગાંધીનગર સચિવાલય ખાતે GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા મૃતક અધિકારીની પત્ની ન હતી. પુત્ર મુંબઈ ખાતે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં એકલતા ના કારણે આત્મહત્યા કરી હોય તેવી આશંકા કરવામાં આવી રહી છે. આ ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article