HomeInternationalપાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત, સરકારે આપ્યા તપાસના આદેશ

પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત, સરકારે આપ્યા તપાસના આદેશ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

પાકિસ્તાનના ક્વેટામાં બલૂચિસ્તાન નૅશનલ પાર્ટી (BNP)ની એક રેલી પછી થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયાં છે જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા ઝમાન બલોચે જણાવ્યું કે બેઠક ખતમ થયા બાદ આ બેઠકસ્થળથી થોડા અંતરે પોતાના મિત્રની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ તેમણે જોયું કે કેટલાક લોકો જમીન પર પડ્યા હતા અને બધે ચીસાચીસ થઈ રહી હતી.

બલૂચિસ્તાન નૅશનલ પાર્ટીના કેન્દ્રીય સૂચના સચિવ આગા બલોચે કહ્યું કે આ વિસ્ફોટ નવાબ નિયાઝ જેહરીના વાહન પાસે થયો છે. તેમણે કહ્યું કે ધડાકામાં તેમના કેટલાક ખાનગી સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે.

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. બલૂચિસ્તાનના મુખ્ય મંત્રી મીર સરફરાઝ બુગતીએ ઘટનાની તપાસ કરતા કહ્યું કે આ વિસ્ફોટ ‘માનવતાના દુશ્મનની કાયરતાપૂર્ણ હરકત’ છે.

Subscribe

Latest stories

spot_img