HomeSurat Cityસુરતના બારડોલીમાં રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત

સુરતના બારડોલીમાં રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

સુરત જિલ્લાના બારડોલી નજીક આવેલી એક કલર ઉત્પાદન ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે કામદારોના મોત થયા અને 15 થી 20 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ આગથી ફેક્ટરીને ભારે નુકસાન થયું છે, અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના ધોરણો અને વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે. આજે સવારે ફેક્ટરીમાં રોજિદુ કામ ચાલુ હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી. આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ મિનિટોમાં આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી.

ફેક્ટરીમાં હાજર જ્વલનશીલ રસાયણો અને સામગ્રીએ આગને વધુ ભયંકર બનાવી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા, અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું જણાવાય છે.

આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. ઘણી ગાડીઓ અને કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, અને હવે કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે જેથી આગ ફરી ન ફેલાય. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવી છે.

Subscribe

Latest stories