Thursday, Oct 23, 2025

મુંબઈના પ્રખ્યાત “લાલ બાગચા રાજા” પ્રથમ દર્શન

1 Min Read

મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રવિવારે આ વર્ષની મૂર્તિનો પ્રથમ દર્શન રજૂ કર્યો છે. લાલબાગચા રાજાની મૂર્તિના પ્રથમ દર્શન પરંપરાગત લોકનૃત્ય અને ગીત સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

જેમાં સેંકડો ભક્તો તેમના પ્રિય બાપ્પાની એક ઝલક મેળવવા માટે એકત્રિત થયા હતા. સૌથી પહેલા લાલબાગચા રાજાની મૂર્તિ 1934 માં સ્થાપિત કરવામાં આવી હતી.

દર વર્ષે, ગણેશ ચતુર્થીથી આગામી 10 દિવસ સુધી, લાખો ભક્તો મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા, શહેરના સૌથી પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિમાં ઉમટી પડે છે. લાલબાગચા રાજાની લોકપ્રિયતા અજોડ છે.

દર વર્ષે, ગણેશોત્સવના 10 દિવસ દરમિયાન અંદાજે 20 થી 25 લાખ ભક્તો પંડાલની મુલાકાત લે છે. ભક્તો માટે દર્શન દરરોજ સવારે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી શરૂ થશે. લોકો બે મુખ્ય દરવાજા દ્વારા પ્રવેશ કરી શકશે.

Share This Article