Thursday, Oct 23, 2025

અબોલ જીવોને સમસ્યા ગણવી ક્રૂરતા – સુપ્રીમના આદેશ પર રાહુલ ગાંધીનો વિરોધ”

1 Min Read

દિલ્હી-NCR વિસ્તારના બધા જ રસ્તા પરના કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે.
તેમના મત મુજબ, કોઈ પણ જીવંત પ્રાણી, ભલે તે રસ્તા પરનું કૂતરું જ કેમ ન હોય, તેને નાશ કરવાની વસ્તુ માનવી ન જોઈએ.
તેમણે કહ્યું કે આ પ્રકારના આદેશો માનવતા વિરુદ્ધ છે અને આને “ક્રૂર અને નિર્દયી” ગણાવી શકાય.
રાહુલના મતે, લોકોની સુરક્ષા સાથે સાથે પશુ કલ્યાણનું સંતુલન રાખીને જ નીતિ ઘડવી જોઈએ.

બીજી તરફ, કોંગ્રેસના જ સિનિયર નેતા પી. ચિદમ્બરમે આ આદેશને સમર્થન આપ્યું છે અને મંતવ્ય આપ્યું છે કે જો દિલ્હી માટે આ આદેશ જરૂરી છે તો તે દેશભરના શહેરોમાં પણ લાગુ થવો જોઈએ

Share This Article