Wednesday, Nov 5, 2025

સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાનો આપઘાત

1 Min Read

સુરતના કતારગામમાં ટ્યૂશન ભણાવતી 19 વર્ષની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાને કોઈ વિકૃત યુવક હેરાન કરીને બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપઘાતને લઈને સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત વિજ. માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે.

વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય નેના વાવડીયા નામની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિકૃત યુવાને પરેશાન કરતાં કતારગામની ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. 19 વર્ષય નેના વાવડીયા નામની શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કોઈ વિકૃત યુવક શિક્ષિકાને સતત હેરાન કરીને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત શિક્ષિકાને બ્લેકમેલ પણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી
સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવા એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ શિક્ષિકાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યાં છે. બીજી બાજુ સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

Share This Article