HomeNationalતેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું અવસાન

તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું અવસાન

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

તેલુગુ સિનેમાજગતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે લાંબી બીમારી બાદ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. દુઃખદ વાત એ છે કે અભિનેતાએ માત્ર 2 દિવસ પહેલા જ પોતાનો 83મો જન્મદિવસ ઉજવ્યો હતો અને હવે તેમણે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.

શ્રીનિવાસ રાવના નિધનનું કારણ શું?

અહેવાલો અનુસાર કોટા શ્રીનિવાસ રાવ છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા. જેના પછી તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પણ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘પ્રખ્યાત અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, જેમણે તેમના વર્સેટાઈલ રોલ્સથી સિનેમા દર્શકોના દિલ જીતી લીધા હતા, તેમના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમનું કલાત્મક યોગદાન અને લગભગ 4 દાયકામાં સિનેમા અને રંગભૂમિના ક્ષેત્રમાં તેમણે ભજવેલી ભૂમિકાઓ અવિસ્મરણીય રહેશે.’

Subscribe

Latest stories

spot_img