HomeNationalરાજસ્થાનના ચુરુમાં IAF જેટ વિમાન ક્રેશ, પાયલોટનું મોત

રાજસ્થાનના ચુરુમાં IAF જેટ વિમાન ક્રેશ, પાયલોટનું મોત

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના રતનગઢ નજીક એક સંભવિત ફાઈટર જેટ ક્રેશની ઘટનાએ ચકચાર મચાવી છે. સ્થાનિક સૂત્રોની માહિતી અનુસાર, રતનગઢ તાલુકાના રાજલદેસર વિસ્તારમાં આજે સવારે ગાઢ અવાજ સાથે કોઈ વિમાન તૂટી પડ્યું હતું. અવાજ સાંભળ્યા બાદ આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા અને સ્થળ પર ફાઈટર જેટ જેવું મલબો જોવા મળ્યું. તાત્કાલિક જાણ કરી રાજલદેસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં મલબાની નજીકથી માનવ દેહના અંશો મળ્યા છે, જેનાથી સંભાવના છે કે ઘટનામાં કોઈનું મોત થયું હોય. હાલ સુધીમાં ન તો પોલીસએ અને ન તો ભારતીય વાયુસેનાએ સત્તાવાર રીતે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ મલબાની જે સ્થિતિ જોવા મળી રહી છે, તે ફાઈટર જેટ ક્રેશની દશા તરફ ઈશારો કરે છે.

જિલ્લા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને વિસ્તારને સીલ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે. લોકોમાં ભયનો માહોલ છે અને અવાજના કારણે ઘણી દૂરસૂધી બેઠેલી બારીઓ પણ ધ્રૂજતી જોવા મળી હતી. શું આ ભારતીય વાયુસેનાનું વિમાન હતું કે નહીં, તેની વિગતો સત્તાવાર જાહેરાત પછી સ્પષ્ટ થશે.

Subscribe

Latest stories