26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ પાકિસ્તાન વિશે મોટો ખુલાસો કર્યો છે. તહવ્વુરે કહ્યું છે કે તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ હતો. તેણે એ પણ કબૂલાત કરી છે કે તે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો. તહવ્વુર હાલમાં NIA ની કસ્ટડીમાં છે અને દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે.
તાજેતરની માહિતી અનુસાર, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન, તહવ્વુરે 2008ના મુંબઈ હુમલા, પાકિસ્તાન અને ISI વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તહવ્વુરે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની સેનાનો સૌથી વિશ્વાસુ એજન્ટ હતો અને ગલ્ફ વોર દરમિયાન સાઉદી અરેબિયામાં પોસ્ટેડ હતો. તહવ્વુરે એમ પણ કહ્યું કે તેણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા તાલીમ કેન્દ્રની ઘણી વખત મુલાકાત લીધી હતી. તેણે અહીં તાલીમ લીધી હતી.
પાકિસ્તાની સેનાનો ‘વિશ્વસનીય વ્યક્તિ’
રાણાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે તે પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ વ્યક્તિ હતો. તેણે કહ્યું હતું કે ઈરાક દ્વારા કુવૈત પર આક્રમણ દરમિયાન તેને સાઉદી અરેબિયામાં ગુપ્ત મિશન પર પણ મોકલવામાં આવ્યો હતો, જે પાકિસ્તાની લશ્કરી સંસ્થા માટે તેનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવે છે. રાણાએ કહ્યું કે તેણે 1986 માં રાવલપિંડીની આર્મી મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ તેને ક્વેટામાં કેપ્ટન (ડોક્ટર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે સિંધ, બલુચિસ્તાન, બહાવલપુર અને સિયાચીન-બાલોત્રા સેક્ટર સહિત પાકિસ્તાનના અનેક સંવેદનશીલ લશ્કરી વિસ્તારોમાં પણ કામ કર્યું હતું.
26/11ના અન્ય કાવતરાખોરો સાથે કબૂલાત કરી
પૂછપરછ દરમિયાન રાણાએ અબ્દુલ રહેમાન પાશા, સાજીદ મીર અને મેજર ઇકબાલને ઓળખતો હોવાની પણ કબૂલાત કરી. ત્રણેય પાકિસ્તાની નાગરિક છે અને 26/11ના મુંબઈ હુમલામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.રાણા હિન્દી, અંગ્રેજી, અરબી અને પશ્તો જેવી અનેક ભાષાઓમાં વર્ણન કર્યું હતું.
હેડલી વિશે ઘણા ખુલાસા કર્યા
તે જ સમયે, ક્રાઈમ બ્રાન્ચને આપેલા પોતાના નિવેદનમાં, રાણાએ ડેવિડ હેડલી વિશે પણ ઘણા ખુલાસા કર્યા. તેણે જણાવ્યું કે 2003 થી 2004 દરમિયાન, હેડલીએ લશ્કર-એ-તૈયબા સાથે ત્રણ તાલીમ અભ્યાસક્રમોમાં ભાગ લીધો હતો, જોકે તેને બધા અભ્યાસક્રમોના નામ યાદ નથી.મુંબઈમાં પ્રથમ ઇમિગ્રેશન સેન્ટર ખોલવાનો વિચાર કોનો હતો તે પૂછવામાં આવતા, રાણાએ દાવો કર્યો કે તે સંપૂર્ણપણે તેનો પોતાનો વિચાર હતો, હેડલીનો નહીં. હેડલીને મોકલવામાં આવેલા પૈસા અંગે, રાણાએ કહ્યું કે પૈસા વ્યવસાયિક ખર્ચ માટે મોકલવામાં આવ્યા હતા. રાણાએ એ પણ સ્વીકાર્યું કે મુંબઈમાં ઓફિસ હોવા છતાં, ગ્રાહકો મેળવવામાં પડકારો હતા.