Thursday, Oct 23, 2025

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ 1 જુલાઈથી ટ્રેનના ભાડાંમાં થશે વધારો, આ ટ્રેનોમાં થશે મોટો ફર્ક

3 Min Read

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઈ, 2025 થી, ભારતીય રેલ્વે કેટલીક શ્રેણીઓની ટિકિટના ભાવમાં વધારો કરવા જઈ રહ્યું છે. એટલે કે, હવે તમારે એસી અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. જોકે, કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

કઈ ટ્રેનોમાં ભાડું વધશે?

  • એસી ક્લાસ: સૌથી મોટો વધારો એસી ટિકિટમાં થયો છે. હવે તમારે પ્રતિ કિલોમીટર 2 પૈસા વધુ ચૂકવવા પડશે.
  • જનરલ સેકન્ડ ક્લાસ: જો તમે ૫૦૦ કિમી સુધી મુસાફરી કરી રહ્યા છો, તો ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ, જો તમારી મુસાફરી ૫૦૦ કિમીથી વધુની હોય, તો તમારે પ્રતિ કિમી અડધા પૈસા વધુ ચૂકવવા પડશે.
  • મેલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી): હવે તમારે આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે.

નોન-એસીમાં એક પૈસા અને એસી ક્લાસમાં બે પૈસાનો વધારો
ભારતીય રેલવેએ પહેલી જુલાઈથી નવું ભાડું વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારમણ વધશે, પરંતુ અમુક કેટેગરીમાં કોઈ વધારો થશે નહીં. રેલવેના નવા ટેરિફ અનુસાર જનરલ મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)ના ભાડાંમાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસની ટ્રેનમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે, જેનાથી સામાન્ય વધારો થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

એસી ક્લાસની ટિકિટના ભાડાંમાં મોટો ફેરફાર
એના સિવાય મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)માં મુસાફરી કરનારા પ્રવાસીઓને હવે કિલોમીટરદીઠ એક પૈસા વધારે ચૂકવવાના થશે. એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કિલોમીટરદીઠ બે પૈસાનો વધારો કર્યો છે. મુંબઈ સહિત દેશના અન્ય સબર્બનમાં દોડાવાતી લોકલ ટ્રેનના ભાડાંમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી રોજ મુસાફરી કરનારા કરોડો પ્રવાસીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે.

ટિકિટ બુકિંગ માટે નવા નિયમો
અગાઉ, રેલવેએ ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોમાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી તમે મુસાફરીના 4 કલાક પહેલા જાણી શકતા હતા કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં, પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. આ અંતર્ગત, કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે. આ નવી સિસ્ટમ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે તેનો પ્રયાસ થોડા અઠવાડિયા સુધી કરવામાં આવશે.

Share This Article