HomeSurat Cityઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરત કોસંબાના દંપત્તિનું પણ મોત

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરત કોસંબાના દંપત્તિનું પણ મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

અમદાવાદમાં એર ઈન્ડિયાની એઆઈ ૧૭૧ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરત જિલ્લાનાં કોસંબા તરસાડીનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે આ દંપત્તિ લંડન ખાતે સ્થાયી તેમની પુત્રી અને જમાઈને ત્યાં જઈ રહ્યાં હતાં હોવાની માહિતી સાંપડી રહી છે.વધુમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં આશરે ૨૪૨ જેટલાં પેસેન્જરો‌ સવાર હોય જેમાં મોટાભાગનાં લોકો મોત થયા હોવાની માહિતી સાંપડી રહી છે.જોકે હજુ સુધી મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયું નથી.

અત્રે પ્રાપ્ત માહિતીને અનુસાર અમદાવાદથી લંડન જતું એઆઈ ૧૭૧ પ્લેન ટેક ઓફ કરતી વેળાએ અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની હોસ્ટેલનાં બિલ્ડીંગનાં ભાગ સાથે પ્લેન ટકરાતાં ભયાનક દુર્ઘટના સર્જાતાં આખેઆખું પ્લેન આગની લપેટમાં આવી જતાં લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં.અત્રે આ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં કોસંબા તરસાડીનાં અર્જુનસિંહ ઉદયસિંહ વાંસદિયા અને તેમનાં ધર્મપત્ની દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયાનું અવસાન થયું હતું.

આ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનામાં કોસંબાનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી આગેવાન દંપત્તિએ જાન ગુમાવ્યાનાં સાંભળતા જ કોસંબા તરસાડી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.દરમ્યાન આ મૃતક દંપત્તિનાં પરિવારજનો શોકમગ્ન હાલતમાં અમદાવાદ જવાં રવાના થયા હોવાની માહિતી સાંપડી છે.આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જુનાં તરસાડી ગામનાં ક્ષત્રિય સમાજનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં સર્વત્ર શોકનો માહોલ સર્જાયો છે.

Subscribe

Latest stories

spot_img