Tuesday, Oct 28, 2025

કાશી વિશ્વનાથ મંદિરમાં VIP દર્શનના નામે છેતરપિંડી, 21 નકલી પૂજારીઓની ધરપકડ

0 Min Read

વારાણસીના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકો સાથે નકલી પૂજારીઓ દ્વારા છેતરપિંડી અને ગેરવર્તણૂકના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા હોવાથી આ બાબતને ગંભીરતાથી લઈને વારાણસી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી અને 21 નકલી પૂજારીઓની ધરપકડ કરી હતી. આ બધા આરોપીઓ સુગમ દર્શન અને VIP દર્શનની લાલચ આપીને ભક્તો પાસેથી મોટી રકમ પડાવતા હતા અને ઘણી વાર તેમની સાથે ગેરવર્તણૂક પણ કરતા હતા.

Share This Article