Thursday, Oct 23, 2025

RCBની વિજય પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ, મહિલા સહિત 4 લોકોના મોત

1 Min Read

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ પછી IPL જીત્યું. આ જીતની ઉજવણી માટે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાગદોડ થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડમાં 4 વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે પોલીસે તાત્કાલિક ઘાયલ અને બેભાન લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Share This Article