HomeInternationalચીનમાં તોફાનથી તબાહી: 4 નૌકાઓ પલટાતા 9 પ્રવાસીઓના મૃત્યુ, 1 લાપતા

ચીનમાં તોફાનથી તબાહી: 4 નૌકાઓ પલટાતા 9 પ્રવાસીઓના મૃત્યુ, 1 લાપતા

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

દક્ષિણ પશ્ચિમ ચીનના ગ્વીઝોઉ પ્રાંતમાં અચાનક આવેલા તેજ તોફાનને કારણે વૂ નદીમાં ચાર પ્રવાસી નૌકાઓ પલટાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે અને 1 વ્યક્તિ હજુ લાપતા છે. ચીનની સરકારી મીડિયા દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે.

સરકારી ન્યુઝ ચેનલ CCTV અનુસાર, રવિવારના રોજ બપોરના સમયે ગ્વીઝોઉના એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળે અચાનક ભારે પવન શરૂ થતાં નદીમાં તોફાની પરિસ્થિતિ સર્જાઈ. પહેલાં બે નૌકાઓ પલટાયાની જાણ થઈ હતી, પરંતુ ત્યારબાદ CCTV અને શિન્હુઆ સમાચાર એજન્સીએ પુષ્ટિ કરી હતી કે કુલ ચાર નૌકાઓ પલટાઈ છે.

હજી સુધી સ્પષ્ટ નથી થયું કે અન્ય બે નૌકાઓમાં કોઈ વ્યક્તિ ઘાયલ થયો છે કે નહીં. વૂ નદી, ચીનની સૌથી લાંબી યાંગ્ત્ઝી નદીની સહાયક નદી છે. ગ્વીઝોઉની પહાડીઓ અને નદીઓ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે. હાલમાં પાંચ દિવસના રાષ્ટ્રીય રજાના કારણે ત્યાં ભારે ભીડ જોવા મળી હતી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને લાપતા વ્યક્તિની શોધખોળ તથા ઈજાગ્રસ્તોના સારવાર માટે તમામ પ્રયાસો કરવા આહ્વાન કર્યો છે.

અગાઉની વાર્તાઓમાં એવું જણાવાયું હતું કે પલટાયેલી નૌકાઓમાં અંદાજે 40-40 લોકો સવાર હતા. નૌકાઓમાં ક્ષમતા કરતાં વધુ લોકો ન હતા. એક ચશ્મદીદે ‘બેઇજિંગ ન્યૂઝ’ને જણાવ્યું કે નદીની ઊંડાઈ વધારે હતી છતાં કેટલાક લોકો તરીને કિનારે પહોંચી ગયા હતા. તોફાન અચાનક આવ્યું અને ઘના ધુમ્મસથી નદીની સપાટી પણ દેખાતી નહોતી.

Subscribe

Latest stories

spot_img