Wednesday, Oct 29, 2025

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ

3 Min Read

અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર એક સમયે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ હતો. પણ અત્યારે હાલ ત્યાં ચકલાં ઊડી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ડીસીપી ક્રાઇમ અજીત રાજીયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચે તે પહેલાં તમામ ઘરોમાં તાળાં લટકતા જોવા મળ્યા. આખો વિસ્તાર ખાલીખમ જોવા મળી રહ્યો છે. અગાઉ ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

બાંગ્લાદેશી ધૂષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગુજરાત પોલીસે ઓપેરેશન હાથ ધર્યુ છે. અમદાવાદમાં ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે. રોજી રોજગાર મેળવવા આવેલાં પરપ્રાંતિયોની સંખ્યા આ વિસ્તારોમાં સૌથી વધુ છે. આ વિસ્તારોમાં કાર્યકત સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવુ છેકે, આ વિસ્તારમાં રહેતાં કેટલાંય પરિવારોએ એવાં છે જે અન્ય રાજ્યના જરૂર છે પણ તેમના બાળકોનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પરિવારજનોના લગ્ન ગુજરાતમાં થયા છે.

સુરત ગ્રામ્ય પોલીસે 245 વિદેશી નાગરિકોને ઝડપ્યા હતા, જેમાં 60ની તપાસ કરાઈ છે. તે તમામ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. તથા બાકીના લોકોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા. તેઓએ ભારત-બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી.

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચોકબજાર પોલીસ દ્વારા અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી નહેરૂનગર ઝૂંપડપટ્ટી, સાબરીનગર, રીવરવ્યુ સોસાયટી, ફુલવાડી, પંડોળ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘૂસણખોરી મામલે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી પોલીસે 800થી વધુ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 600 જેટલા લોકો ભારતના નાગરિકો હોવાના કારણે તેઓને છોડી મૂકવામાં આવ્યા હતા તો 104 નાગરિકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. તે સિવાયના અમુક શકમંદોના બનાવટી દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ તમામ લોકોએ ભારત-બાંગલાદેશના સરહદી વિસ્તારમાંથી અહીં આશ્રય લીધો હતો, જેમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં 85થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ શકમંદો તથા બાંગ્લાદેશીઓએ અમદાવાદ આવ્યા બાદ 3 એજન્ટ મારફતે બોગસ દસ્તાવેજ બનાવી લીધા હતા. આ તમામને ડિપોર્ટ કરવામાં આવશે, તેમજ 550થી વધારે લોકો પાસેના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે

Share This Article