Saturday, Oct 25, 2025

ભારત સરકારે પાકિસ્તાનની યૂ ટ્યુબ ચેનલ પર લગાવી રોક

2 Min Read

કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.

63 મિલિયન સન્સ્ક્રાઇબર્સ ધરાવતી કુલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરની યુટયુબ ચેનલ પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણોને પગલે યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પ્રતિબંધિત પ્લેટફોર્મ્સમાં ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફતાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝ ન્યૂઝ ચેનલોનો સમાવેશ થાય છે. પત્રકાર ઈર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અન્ય પ્રતિબંધિત હેન્ડલ્સમાં ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝેર ક્રિકેટ અને રાઝી નામાનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલાને પગલે પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આવી યુટ્યુબ ચેનલો ભારત, તેની સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સંવેદનશીલ સામગ્રી, ખોટા-ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી ફેલાવી રહી હતી. આ આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓ દ્વારા 25 પ્રવાસીઓ અને એક કાશ્મીરીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

Share This Article