Thursday, Oct 23, 2025

પીએમ મોદી સાથે ચાલતા-ચાલતા કેમ રોકાઇ ગયા ચિલીના રાષ્ટ્રપતિ ?

2 Min Read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક વચ્ચે મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ મુલાકાત ભારત અને ચિલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે યોજાઈ હતી. PM મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ બોરિક 1થી 5 એપ્રિલ 2025 સુધી ભારતની રાજ્ય મુલાકાત પર આવ્યા છે. આ મુલાકાત દ્વિપક્ષીય વેપાર, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપશે.

ચિલીના રાષ્ટ્રપતિ સાથે આવેલા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળમાં મંત્રીઓ, સંસદના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, તથા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિક વચ્ચે વેપાર, ટેક્નોલોજી, પર્યાવરણ અને સામાજિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.

આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના બની. જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિક સાથે ચાલીને આગળ વધી રહ્યા હતા, ત્યારે બોરિક અચાનક અટકી ગયા અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે પૂછવા લાગ્યા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો. ભારતીય રાષ્ટ્રધ્વજના રંગો અને અશોક ચક્ર વિશે જાણવા માટે રાષ્ટ્રપતિ બોરિકની ઉત્સુકતા જોઈને પીએમ મોદીએ તેમને ધ્વજની મહત્તા સમજાવી.

ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોથી બનેલો છે – કેસરી, સફેદ અને લીલો. કેસરી રંગ બલિદાન અને ઉદ્દીપનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિ અને સત્યને દર્શાવે છે, જ્યારે લીલો રંગ કૃષિ અને વૃદ્ધિનું પ્રતીક છે. ધ્વજના કેન્દ્રમાં આવેલા અશોક ચક્રમાં 24 આરીઓ છે, જે જીવનના સતત ગતિશીલતાનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ બોરિકે ધ્વજના આ અર્થ અને મહત્તાને ઉત્સાહપૂર્વક સમજ્યું અને તેની પ્રશંસા કરી.

Share This Article