સુરતમાં NSG કમાન્ડોની મોકડ્રિલ અલગ અલગ જગ્યાએ ચાલી રહી છે. ત્યારે અલથાણ ભીડરાડ રોડ ઉપર આવેલ ખાનગી કોમ્પલેક્ષના હોટલમાં NSG કમાન્ડો રોકાયા હતા. ત્યાં મોડી રાતે તે કોમ્પ્લેક્સના હોટલમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આશરે 160 જેટલા NSG કમાન્ડો હોટલમાં રોકાયા હતાં.
ફાયરની 10 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં 10 લોકોનું ફાયરના જવાનોએ રેસ્ક્યું કર્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. NSG કમાન્ડો અને તેઓના હથિયાર પણ સહી સલામત છે. આગ લાગવાનું કારણ એકબંધ રહેવા પામ્યું છે.
સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરી રહ્યું હતુ તે દરમિયાન બિલ્ડિંગમાં પ્રંચડ બ્લાસ્ટ થયો અને લોકો દોડતા થયા હતા,આ બિલ્ડિંગમાં 160 NSG જવાનો હોટલમાં રોકાયા હતા તો NSG કમાન્ડો સમજ્યા કે મોકડ્રિલ છે પરંતુ જયારે સાચી આગ લાગી ત્યારે સૌ કોઈ દોડતા થઈ ગયા હતા,ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાંથી 9 લોકોને રેસ્કયૂ કરીને બચાવવામાં આવ્યા હતા, ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.
સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરતુ હતુ અને તેની વચ્ચે આગ લાગી હતી ત્યારે આ ઘટનામાં સૌ કોઈ ચિતિંત થયા હતા,એટલા માટે ચિંતિત થયા હતા કે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો, ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી, તો ફાયર વિભાગે સુરક્ષિત રીતે તમામ લોકોને ઘરની બહાર નીકાળ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો, આગ કેમ લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી અને ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે.