HomeNationalસંભલ, મથુરા, વકફ સહિતના મુદ્દાઓ પર મુખ્યમંત્રી યોગી ખુલીને બોલ્યા, જાણો શું...

સંભલ, મથુરા, વકફ સહિતના મુદ્દાઓ પર મુખ્યમંત્રી યોગી ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું ?

Date:

Related stories

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળને લઈને મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી ANIને આપેલા પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં સીએમ યોગીને સંભલમાં ચાલી રહેલા ખોદકામને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન મથુરાનો પણ ઉલ્લેખ થયો, જેના પર સીએમ યોગીએ કહ્યું કે મથુરામાં અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ, નહીં તો ત્યાં સુધીમાં ઘણું બધું થઈ ગયું હોત.

પત્રકારે ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું, તમે કેટલી જગ્યા ખોદશો? સંભલમાં 18 તીર્થસ્થાનો મળી આવ્યા છે, તમે 64ની વાત કરો છો? આના પર યોગી આદિત્યનાથે કહ્યું કે 54 તીર્થસ્થળોની ઓળખ કરવામાં આવી છે અને જેટલી જગ્યાઓ મળશે અમે તેટલી જગ્યાઓનું ખોદકામ કરીશું. આના પર પત્રકારે પૂછ્યું કે તમે મથુરાની વાત કેમ કરો છો? જેના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, શું મથુરા ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ નથી?

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી પર સીએમ યોગીએ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને પાઠ ભણાવવામાં આવશે. જેઓ જે ભાષા સમજે છે તેને તે ભાષામાં સમજાવવામાં આવશે. સંભલ પર સીએમએ કહ્યું કે અમે તેનું સત્ય દરેકને બતાવીશું. સંભલમાં 68 તીર્થસ્થળો છે. અમે તે બધાને શોધીશું. સંભલમાં જે પણ થયું છે તે અમે આખી દુનિયાને બતાવીશું. કહેવાય છે કે જો તમે કોઈ હિંદુ ધાર્મિક સ્થળને તોડીને ત્યાં મસ્જિદ બનાવશો તો તે ભગવાનને પણ માન્ય નથી.

મથુરા પર સીએમએ કહ્યું કે અમે કાયદાકીય પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ, જો મથુરાનો કેસ કોર્ટમાં ન હોત તો ત્યાં ઘણું બધું થયું હોત. યુપીમાં મુસ્લિમોની સુરક્ષા સાથે જોડાયેલા સવાલ પર સીએમએ કહ્યું કે 100 હિંદુ પરિવારમાંથી એક મુસ્લિમ પરિવાર સુરક્ષિત છે પરંતુ 100 પરિવારમાંથી 50 હિંદુ પરિવાર પણ સુરક્ષિત નથી. યુપીમાં મુસ્લિમો સૌથી સુરક્ષિત છે, 2017 પછી યુપીમાં કોઈ રમખાણો નથી. દેશમાં હિન્દુઓ સુરક્ષિત છે તો મુસ્લિમો પણ સુરક્ષિત છે. જો મુસલમાનો તેમનો ઈતિહાસ જાણશે તો વોટ બેંકની રાજનીતિ ખતમ થઈ જશે.

Subscribe

Latest stories