ગુજરાત પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે ગુજરાતના ઘણા કોંગ્રેસ નેતાઓને ભાજપની બી-ટીમ પણ ગણાવ્યા છે. એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું કે, કોંગ્રેસમાં ઘણા સિંડ છે પણ બધા સાંકળોમાં બંધાયેલા છે. દરેક વ્યક્તિએ લોકો માટે કામ કરવું પડશે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત અટવાયું છે, તેને કોઈ રસ્તો દેખાતો નથી, ગુજરાત આગળ વધવા માંગે છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું કડી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છે અને હું શરમથી બોલતો નથી, હું ડરથી બોલતો નથી, હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે ભલે તે આપણા કાર્યકરો હોય, ભલે તે રાહુલ ગાંધી હોય, ભલે તે આપણા મહાસચિવ હોય, ભલે તે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય, આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાતના લોકો વિકલ્પ ઈચ્છે છે. બી ટીમ નથી ઈચ્છતા. મારી જવાબદારી આ બે ગ્રુપ્સને છાવરવાની નથી. આપણે કડક કાર્યવાહી કરવી પડશે. 10, 15, 20, 30 લોકોને હાંકી કાઢવા પડે તો પણ અચકાવું ન જોઈએ. આ લોકો ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, હું ગઈકાલે વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને બ્લોક પ્રમુખોને મળ્યો હતો. મારો ધ્યેય તમારા દિલની બાબતોને જાણવા અને સમજવાનો હતો. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને સરકારની કામગીરીને લગતી ઘણી બાબતો સામે આવી હતી. પરંતુ હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો, પરંતુ રાજ્યના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
મેં ખુદને પૂછ્યું મારી અને કોંગ્રેસની શું જવાબદારી છે. આશરે 30 વર્ષથી કેમ અહીંયા પક્ષની સરકાર નથી બની. હું જ્યારે આવું છું ત્યારે 2012, 2017, 2022, 2027 ચૂંટણી પર વાત થાય છે. પરંતુ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને ચૂંટણી નહીં જીતાડે. જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું ગુજરાતની લોકો કોંગ્રેસને સમર્થન આપશે.