HomeNationalરાજધાની દિલ્હીમાં બે જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગર, 5 લોકો ઇજાગ્રસ્ત

રાજધાની દિલ્હીમાં બે જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગર, 5 લોકો ઇજાગ્રસ્ત

Date:

Related stories

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની...

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો...
spot_img

દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી છે. દિલ્હીના જ્યોતિ નગરમાં પરસ્પર અદાવતને કારણે 2 જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 3 માર્ચે રાત્રે લગભગ 9:00 વાગ્યે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનાની માહિતી મળી હતી, જેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે તેમના પુત્રને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્યારે પોલીસ ટીમ SOC એટલે કે શક્તિ ગ્રેડન,ગલી નંબર-1 પર પહોંચી ત્યારે પોલીસ ટીમે જોયું કે, બે જૂથો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની તપાસ માટે ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં સંડોવાયેલા શંકાસ્પદોને ઓળખવા અને ધરપકડ કરવા માટે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટ્સનું વિશ્લેષણ કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગોળીબાર પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી અને પોલીસ હાલ જૂની અદાવતનાં કારણની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોની પૂછપરછ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

Subscribe

Latest stories

spot_img