કોલકાતા રેપ મર્ડર કેસમાં સંજય રોયને આજે સજા સંભળાવી હતી. કોર્ટ આરોપીને આજીવન કેદની સજાનું એલાન કર્યું હતું. સિયાલદહ કોર્ટે શનિવારે સંજયને દોષિત જાહેર કર્યો હતો. સીબીઆઈએ ગુનેગારને ફાંસી આપવાની માંગ કરી છે. સંસજા અંગેની ચર્ચા દરમિયાન સીબીઆઈ ગુનેગારને કડકમાં કડક સજાની માંગ કરી હતી.
કોલકાતા રેપ મર્ડર કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે. સિયાલદહ કોર્ટમાં સજા પરની ચર્ચા દરમિયાન CBI ગુનેગારને ફાંસી અપાવવાનો પ્રયાસ કરશે. આરજી કર હોસ્પિટલમાં આ ઘટનાના લગભગ 162 દિવસ બાદ કોર્ટે શનિવારે પોતાનો ચુકાદો આપ્યો અને સંજય રોયને દોષિત જાહેર કર્યો
સજા સંભાળતા પહેલાં જજે સંજયને પૂછ્યું હતું કે, ‘તારા ઉપર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે. સંભવિત સજા વિશે શું કહેશો?’ જેના પર સંજયે કહ્યું હતું કે, ‘મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેરુ છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઈમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરાવી લેવામાં આવ્યા છે.’
કોલકાતા કાંડને લઈને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે અમે તપાસમાં સહયોગ આપ્યો છે. અમે ન્યાયની માગ કરી હતી, પરંતુ ન્યાયાલયે પોતાનું કામ કરવાનું હતું, તેથી આમાં એટલો સમય લાગ્યો. અમે હંમેશા ઈચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે.
આ પણ વાંચો :-